પહેલી વાત તો એ કે, અત્રે હાજર રહેલા સર્વે મિત્રોની તેમણે બૂક કરેલ પુસ્તકો પર શ્રી અમુલખભાઇ હસ્તાક્ષર કરશે.બીજી વાત એ કે આ કવિનો આ પહેલો ગદ્ય પ્રયોગ છે અને તે સર્જન પ્રક્રિયાનો હું ભાગીદાર અને સાક્ષી છું તેથી કેટલિક અમુલખ વિષેની વાતો હું અહીં આપની સાથે વહેંચવા માંગુ છું.
આમંત્રણ પત્રિકા છપાઇ ગઇ અને જેમણે જીવન સાથીની અગાઉથી કોપી બુકિન્ગ કરાવેલ તેમને તેમના સરનામે કુરિયર કરવામાં આવી.એક આમંત્રણ પત્રિકા ઘનશ્યામ શ્રી મનોજ કોઠારીને જાતે આપી આવ્યો.
જરા વાર રહી બંને મિત્રો પાન ખાવા બહાર આવ્યા અને વાતો કરતા એક ઓળખીતા પાનવાળાના ગલ્લે આવ્યા.પનવાડીએ તેમના પાન બનાવીને આપ્યા.ઘનશ્યામે એક સિગારેટ સળગાવી સિગારેટનું પાકિટ અને લાઇટર અમુલખ સામે લંબાવ્યું.અમુલખ ક્યારેક સિગારેટ પીતો હતો પણ ઘનશ્યામે કરેલી ઓફરથી તેણે પણ એક સળગાવી પછી અમુલખે નક્કી કરેલી જગા સુધી બંને ચાલતા રહ્યા અને મુકરર સ્થળ આવી જતા પાછા વળ્યા.
માલતી મહેશ સાથે આવી વાતો કરી તેને દુ:ખી કરવા નહોતી માંગતી…આમ બંને જણ એકબીજાની લાગણી ભુલથી પણ ન ઘવાય તેની કાળજી રાખતા હતા પણ ઉદાસી છુપાવી નથી શકતા….બંને એકબીજાને મેળવીને ભગવાન નો ઉપકાર માનતા….અને આ જ સંજોગો સાથે જીવી લેવાનું મનોમન નક્કી કરી લેતા….
ઘણી વખત આપણા અંતરંગ મિત્રો કે સગાને મળવાની ઇચ્છા બળવતર બની જાય ત્યારે તેમના જ વિચાર આવતા હોય છે કેમ કશો સંપર્ક થયો નથી…? કેટલા દિવસ થયા…? એવું જ કંઇક અમુલખ વિચારી રહ્યો હતો આ ઘનશ્યામ ને મળ્યે ઘણા દિવસ થયા…અને ફોન પર પણ સરખી વાત નથી થઇ…આમ વિચારી અમુલખે ઘનશ્યામ ને ફોન લગાવ્યો.
‘બઝાર કરવા તો મોટીબેન જ જાય છે, એ મારા પાસેથી પૈસા માંગે છે, એ મને અજુગતું લાગે છે’ કહતા યદુરામ નીચું જોઇ કહ્યું.
આ સાંભળી અમુલખને યદુરામ પ્રત્યે માન થયું તો સાકરને પણ યદુરામના શબ્દો હ્રદયને સ્પર્શી ગયા અને અહોભાવથી તેને જોઇ રહી.વર્ષોથી ઘર ભંગ થયેલા બંને જીવ એક બીજાના સાનિધ્યમાં સાંત્વના પામતા હતા.રેલ્વેના બે પાટા સમાન્તર ચાલતા હોય છે પણ ક્યાં મળતા નથી પણ બંનેને એક બીજાના આધાર વગર અધુરા છે એવી સત્ય હકિકત બંનેને સુપેરે સમજાઇ ગઇ હતી.પ્રેમને ભાષા હોતી નથી.પ્રેમનો અહેસાસ થતા સમય પણ લાગતો નથી .પ્રેમ એ પર્વતમાંથી નિકળતા ઝરણાં જેવો હોય છે.બસ કલ કલ વહેતા હોય છે,તેમાં પણ સાચા પ્રેમમાં પામવા કરતાં આપવાની ભાવના વધારે છલકાતી હોય છે.
‘બસ…બસ તારે આગળ કંઇ કહેવાની જરૂર નથી, બસ આજથી આ જ તારૂં ઘર. તું અહીં જ રહેવાની છે આ ઘરમાં…’કહી અમુલખ પોતાના રૂમમાં જતો રહ્યો.
સાકરને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.એ જાણતી હતી કે અમુલખ એને ઇજ્જત આપતો હતો.અમુલખે કોઇ દિવસ એના કામ સામે ફરિયાદ નહોતી કરી કારણકે, સાકરના કામમાં કશું કહેવાપણું ન હતું.સાકરને તેના દીકરાએ આપેલ આઘાતમાંથી બહાર આવતા વાર લાગી પણ જે હતી એ હકિકત સામે હતી.પહેલાં એ સવારે આવતી અને સાંજે ચાલી જતી પણ હવે એણે ૨૪ કલાક આ ઘરમાં રહેવાનું હતું એ દ્ર્ષ્ટીએ જોતા એને આ ઘર પોતાનું લાગવા લાગ્યું.