
અમુલખને આજનો આખો કાર્યક્રમ જાણે સ્વપ્ન સમાન લાગી રહ્યો, ઘનશ્યામે ખુબ જ કાળજી રાખી નાની નાની બાબતોની વ્યવસ્થા કરી હતી.બધા આમંત્રિત મહેમાનો ખુબ જ આનંદિત થઇને આખો કાર્યક્રમ માણી રહ્યા હતા, કાર્યક્રમના અંતે અમુલખની ભીની આંખ જોઇ ઘનશ્યામે પુછ્યું
‘શું થયું મણિયાર…?’
‘તારી બધી રીત અલગ છે…’
‘જેમ કે……?’
‘પહેલા રફ કોપી વાંચી ને બુક છપાવી પછી તેની એટલી પબ્લિશીટી કરી અને આજે આ કાર્યક્રમ…’
‘યહી તો અપની સ્ટાઇલ હૈ જાની….’કહી ઘનશ્યામ હસ્યો તો અમુલખ તેને ભેટી પડયો
‘ Don’t worry કે લેખક મહોદય વખત આવે આ બધાની કિંમત બરાબર વસુલ કરીશ… આ તો રોકાણ છે પબ્લિસટી વધસે તો બીજી આવૃતિ છપાય છે જેમ વધારે આવૃતિ થશે તેમ મને તો ફાયદો જ છે…’ક્હી ઘનશ્યામ હસ્યો
‘તને નહીં પહોંચાય…’
‘રોયલ્ટી વધશે તો હું ખુદ તારા Personal Assistanat તરિકે મારી નિમણુંક કરી લઇશ..’
યદુરામ અને સાકરને અમુલખે ખાસ તાકિદ કરી હતી કે,એક પ્રેક્ષક તરિકે તમે બંને કાર્યક્રમ માણજો આયોજનમાં ક્યાં પણ ઇન્વોલ્વ થતા નહીં જે તેઓએ સુપેરે અલગ થલગ રહીને માણ્યો હતો.અચાનક અમુલખની નજર સાકરની સાડીની કિનારી પર પડી એ કિનારીની રેખાઓ પોતાની હમણાં જ પબ્લિશ થયેલી બુક જીવન સાથીના કવર પેજ પરની રેખાઓ જેવી જ હતી એ કેવું યોગાનુંયોગ કે પછી… પોતાના આવા વિચાર પર અમુલખને હસવું આવ્યું. યદુરામ અને સાકરને ખુશ જોઇ તેને આનંદ થયો.
કાર્યક્રમના અંતે હોટલ તરફથી અલ્પાહારની વ્યવસ્થા હતી.અમુલખ એક અલાયદી ખુરશી પર બેસી કંઇક વિચારતો હતો કે જીવન પણ કેવું છે…? ક્યાંથી ક્યાં લઇ આવે છે…? કોઇક્વાર મનગમતા પડાવેથી ભગાડે છે અને કોઇકવાર સાવ અજાણ્યા વણાંકે એટલો સંતોષ આપે છે કે,આખું આયખું સરભર થઇ જાય. ઘનશ્યામ,યદુરામ અને સાકરની પોતાના માટે લાગણી યાદ આવતા અમુલખની આંખમાં ભીનાશ તરી આવી ત્યારે અચાનક સ્ફુરી આવતી કવિતાના વિચાર મનમાં કરી રહ્યો હતો.
કોઇ કેટલો સાથ આપે,
કોઇ કેટલો વિશ્વાસ રાખે
કોઇ કેટલું ધ્યાન રાખે
બધું જ ઋણાનું બંધ..!
હોટલનું ખાઇને કંટાળેલા અમુલખને યદુરામના આવ્યા પછી શાંતિથી ઘરમાં મળતું ભોજન અને ઘર છેડી આત્મહત્યા કરવા જતી સાકરને પાછી વાળીને ઘેર લાવેલ અને એ ઘરના સભ્ય જેવી થઇ જતા અને પોતાના કાવ્ય સંગ્રહ અને નવલકથાના પ્રકાશન પછી સતત સંપર્કમાં રહેતા ઘનશ્યામ પરમાર બધા હવે તેના પરિવારના અવિભાજ્ય અંગ બની ગયા હતા.જ્યાં ભર્યા ભાદર્યા પરિવરમાં પણ એકબીજાથી બનતું નથી ત્યાં આ ચાર અનામી સબંધો સ્વસ્થતાથી એક બીજા માટે શ્વસી રહ્યા હતા. આ કેવા સબંધના તાણા વાણામાં જીવી રહ્યા હતા દિવસો દિવસ પાંગરી રહ્યા હતા મ્હોરી રહ્યા હતા.એકાએક શિઘ્ર કવિ અમુલખ જીવંત થઇ જતા કેટલા શબ્દો ગોઠવતો હતો
લોહીના સગપણ પણ ભૂલાવી દે છે મને,
કાળજી રાખતા,જુજ જ સબંધો નિકળ્યા;
ખુશીઓથી તિજોરી મારી છલોછલ ભરે છે,
દુવા માંગતા મિત્રો લાખના,જે ચંદ નિકળ્યા
અમુલખ હજુ બીજુ કંઇ વિચારે ત્યાં
‘અલ્યા મણિયાર…આપણા નેતાઓની જેમ તને પણ ખુરશીનો મોહ લાગ્યો હોય તેમ ચોટી કેમ ગયો છે..?ચાલ ઊભો થા..મારા પેટમાં ઊંદર દોડે છે…કદાચ તારા જેવા લેખકો શબ્દો ખાઇને જીવતા હશે પણ અમારા જેવા સાહિત્ય રસિકને તો ભૂખ લાગે છે…’ઘનશ્યામે એમ કહેતા એની વિચાર ધારા તોડી
‘અરે sorry યાર.. you know me તને તો ખબર છે….’ઊભા થતા અમુલખે કહ્યું
‘હા..હા ખબર છે તું કવિતાની ઉપાસના કરતો હતો…’
અમુલખે ફેબ્રુઆરીની માદક ઠંડક અનુભવતા તેના સન્માન વખતે ઓઢાળવામાં આવેલ શાલ સરખી ઓઢી તો ઘનશ્યામે મજાક કરી
‘મણિયાર આમાં તું કોઇ ઠાકોર જેવો દેખાય છે…
’
Filed under: નવલકથા |
Leave a Reply