મુક્તકો
ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છે,
છલોછલ હો ભરેલા સૌ રસો રસહીન લાગે છે;
‘ધુફારી’ની કલમથી જે લખાયું એ જ વંચાયું,
જવાની હોય તો આદમ બધુ રંગીન લાગે છે.
૩૦-૧૨-૨૦૧૩
સુર મધુરા શુન્યથી સર્જાય છે,
એ ગીત આ પથ્થરો કાં ગાય છે;
આભની પાટી પર ‘ધુફારી’શું લખે?
ના લખેલા શબ્દ પણ પડઘાય છે
૨૧-૧૨-૨૦૧૩
રવિ આથમે ને સંધ્યા રેલાય કે રામ તમે આવો ને
મઢી મારીના દિવડા વિલાય કે રામ તમે આવો ને;
નહીં સબરી ‘ધુફારી’થી થવાય કે રામ તમે આવો ને,
મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને.
Filed under: Poem | Leave a comment »