‘કોઇને કહેતા નહીં’
(રાગઃઆપકી આંખોમેં કુછ… … … )
કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે;
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.
વાત જે પરદા મહીં હો રાખવાની એ બધી,
કાનમાં ને શાનમાં સમજાવવાની તે બધી;
ખુદ રહી પરદા મહીં ને વાત એ કહેવાય છે,
કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.
વાત ફિક્કી ફસ રહે તો કાન કો’ધરતું નથી,
ના ‘ધુફારી’ સાંભળે તો કાજ એ સરતું નથી;
તો મસાલા મેળવીને વાત એ કહેવાય છે,
કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે.
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.
૦૭.૦૪.૨૦૧૨
Filed under: Poem |
Leave a Reply