“જાય છે”
હું નથી એ જાણતો કે આમ શાને થાય છે?
રાહ પર ચાલ્યા પછી એ રાહ બદલી જાય છે
નામ જેના યાદ હો તેતો કદી મળતા નથી;
જે મળે છે એમના મન નામ ભુલી જાય છે?
રોજ દેવાલય મહીં જે બોલતા’તા પ્રાર્થના;
કોઇને શિખવાડતા મન શબ્દ ભુલી જાય છે?
આંખજે ઘોંઘાટમાં મિચાયલી રહ છે સદા;
તે અચાનક શાંત થાતા કેમ ઉઘડી જાય છે?
કેટલા વર્ષો પછી મોકો મળ્યો મળવા તણો;
એ “ધુફારી” નો સમય મન કેમ ભૂલી જાય છે?
૦૪/૦૧/૨૦૧૨
Filed under: Poem |
Leave a Reply