“અછાંદશ“
કોઇ અર્ધીરાતના
ઝબકીને જાગી જાઉ છું
કુદરતી આવેગથી
કે
કોઇ બીજા કારણે
મન મનસ્વી થાય છે
સ્પંદનો સમજાય ના
યા કદાચિત
કો દુઃખદ્ હો યા સુખદ્
સ્વપ્નનો ઓથાર
પણ
હોય કારણ ભૂત તો
બસ
કહું છું એટલું
સ્વપ્ન જે જડતા મને
યાદ ના રહેતા કદી.
૨૫/૦૩/૧૯૯૮ ૨૩.૪૫
Filed under: Poem |
Leave a Reply