“હશે“
શી ખબર કે આમ પણ થાતું હશે;
જણતા અણજાણતા થાતું હશે,
ધોમ ધખતા તાપ કે વેરાનમાં;
નીર મીઠાં કોઇ તો પાતું હશે.
પાનખરમાં પાન વેરાયા પછી;
ગીત કોકીલ કંઠ કો ગાતું હશે.
ચાંદની પથરાય છે પુનમ તણી;
મસ્ત થઇને કોઇ તો ન્હાતું હશે.
નફરતો કરનારના ટોળા મહીં;
કોઇ તો તમને ખરે ચ્હાતું હશે.
યમસદનના ચોપડાના પાન પરઃ
આ “ધુફારી“રામનું ખાતું હશે.
૧૮/૧૧/૧૯૯૪
Filed under: Poem |
Leave a Reply