“અર્ધાગિંની”
(રાગઃભુલવા મને કહો છો સ્મરણો ભુલાય ક્યાથી)
અર્ધાગિની મળેતો કોઇ રૂપગર્વિતા હો
માંગ્યું નથી મેં એવું,હ્રદય રંજીતા છો……..અર્ધાગિની
રતિના સમી હો કાંતિ,મદ્થી ભરેલા અંગો
માંગ્યું હતું અરે મેં,જે શાંત દેહલત્તા હો…….અર્ધાગિની
મદિરા ભરેલી આંખો દિવાના દિલ કરે જે
હું તો નયન એ માંગું જે પ્રણય છલકતા હો….અર્ધાગિની
મુઝ હ્રદયમાં વસે જે,મુઝને જ જે ચહે છે
સુખ કષ્ટ જે સહે છે,જ્યાં હ્રદય ઐક્ય્તા હો…..અર્ધાગિની
મનની તું માનુની છો,મારા હ્રદયનું અમૃત
ધુંધવાયેલા જીવનની,તું એક સૌમ્યતા છો…..અર્ધાગિની
૦૫/૦૫/૧૯૬૮
Filed under: Poem | Leave a comment »